મોદી સરકારની યોજનાઓથી ભારત ચમકવા લાગ્યું! ઈસરોના આ અહેવાલમાં ખુલાસો, જાણો વિગત

News18 Gujarati
Updated: February 2, 2023, 8:04 PM IST
મોદી સરકારની યોજનાઓથી ભારત ચમકવા લાગ્યું! ઈસરોના આ અહેવાલમાં ખુલાસો, જાણો વિગત
ભારતમાં દસ વર્ષમાં નાઇટ ટાઇમ લાઇટ્સમાં 43 ટકાનો વધારો થયો છે. (Image: NASA)

આ વિષય પર નેશનલ સાયન્સ સેન્ટર (National Science Centre)ના ડાયરેક્ટર એન રામદાસ અય્યરે કહ્યું કે જો રાત્રિના સમયે પ્રકાશમાં વધારો થાય છે તો તેનો અર્થ એ છે કે દેશમાં વિકાસ થયો છે.

  • Share this:
નવી દિલ્હી: ISROના નેશનલ સેન્સિંગ રિપોર્ટ અનુસાર, ભારતમાં દસ વર્ષમાં રાત્રિના સમયે લાઇટમાં 43 ટકાનો વધારો થયો છે. નિષ્ણાતો આનો શ્રેય મોદી સરકારની સૌભાગ્ય યોજના અને ઉજ્જવલા યોજના જેવી કેટલીક યોજનાઓને આપી રહ્યા છે. ISROના રિપોર્ટ અનુસાર, છેલ્લા એક દાયકામાં ભારતમાં નાઇટ ટાઇમ લાઇટ્સમાં 43%નો વધારો થયો છે. ઈસરોના નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટરનો રિપોર્ટ પુષ્ટિ કરે છે કે ભારતમાં વિકાસની ગતિ કેવી રીતે ઝડપથી વધી રહી છે. નાઇટ ટાઇમ લાઇટ રિમોટ સેન્સિંગ રાત્રિના સમયની પ્રવૃત્તિમાં પ્રગતિ દર્શાવે છે. તેઓ દેશના વિકાસ તરફ નિર્દેશ કરે છે.

આ વિષય પર નેશનલ સાયન્સ સેન્ટર (National Science Centre)ના ડાયરેક્ટર એન રામદાસ અય્યરે કહ્યું કે જો રાત્રિના સમયે પ્રકાશમાં વધારો થાય છે તો તેનો અર્થ એ છે કે દેશમાં વિકાસ થયો છે. આ સાથે તેમણે કહ્યું કે એ પણ કહી શકાય કે ભારતમાં હાઈવે (Highway) અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ વધારો થયો છે. શહેરીકરણ વધ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ વિકાસ થયો છે.



તમને જણાવી દઈએ કે મોદી સરકારની ઘણી એવી યોજનાઓ છે જે ગ્રામીણ ભારતને રોશન કરી રહી છે. સૌભાગ્ય યોજના હેઠળ 2021 સુધીમાં 2.8 કરોડ ઘરોનું વીજળીકરણ કરવામાં આવ્યું હતું. જ્યારે ભારતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની કુલ લંબાઈ 2014-15માં 97,830 કિમી હતી. હાલમાં તે લગભગ 1.45 લાખ કિમી છે. આ કારણે પણ દેશમાં રાત્રિના સમયે લાઇટોમાં મોટો વધારો થયો છે.
Published by: rakesh parmar
First published: February 2, 2023, 8:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading