Sabarmati River Pollution: ગંગા અને યમુનાના પ્રદૂષણનો મામલો સતત સામે આવી રહ્યો છે અને છેલ્લાં કેટલાંક વર્ષોમાં સરકારે તેને સાફ કરવા માટે અનેક પગલાં લીધાં છે. પરંતુ, શું તમે જાણો છો કે દેશની સૌથી પ્રદૂષિત નદી કઈ છે? સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના રિપોર્ટમાં આ વાત સામે આવી છે. રિપોર્ટ અનુસાર, ચેન્નાઈની કૂમ નદીને દેશની સૌથી પ્રદૂષિત નદી તરીકે જાહેર કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, ગુજરાતની સાબરમતી પણ દેશમાં બીજા નંબર પર સામેલ થઈ છે.
બીજા નંબરે સાબરમતી અને ત્રીજા નંબર પર બહેલા નદી
ગુજરાતની સાબરમતી નદી (Sabarmati River) 292 મિલિગ્રામ પ્રતિ લિટરના BOD સાથે બીજા ક્રમે આવી છે. જણાવી દઈએ કે, આ રિપોર્ટમાં ગુજરાતની અન્ય 12 નદીઓનો પણ સમાવેશ થયો છે. જેમાં, ભાદર, જેતપુર (258.6 I), અમલખાડી સાથે, અંકલેશ્વર, (49.0 I), ભોગાવો, સુરેન્દ્રનગર (6.0 V), ભુખી ખાદી, વાગરા (3.9 V), દમણગંગા કાચીગાંવ અને ચાણોદ (5.3 V), ધાદર, કોઠાડા (33.0 I), ખારી, લાલી ગામ (195.0 I), માહી કોટના, મુજપુર (12.0 III), મિંધોલા , સચિન (28.0 II), શેઢી, ખેડા (6.2 IV), તાપી , નિઝર (3.4 વી), વિશ્વામિત્રીનો સમાવેશ થયો છે.
આ પણ વાંચો: રાજ્યમાં હવાનું પ્રદૂષણ વધતાં શ્વાસનતંત્રની બીમારીનું પ્રમાણ વધ્યું, પાંચ વર્ષમાં 80 હજારથી વધુ દર્દી નોંધાયા
જણાવ દઈએ કે, ઉત્તર પ્રદેશની બહેલા નદી 287 મિલિગ્રામ પ્રતિ લિટરના BOD મૂલ્ય સાથે ત્રીજી સૌથી પ્રદૂષિત નદી છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, છેલ્લા ચાર વર્ષમાં તમિલનાડુમાં પ્રદૂષિત નદીઓની સંખ્યામાં વધારો થયો છે. જણાવી દઈએ કે, અવડીથી સત્ય નગર વચ્ચેની નદીમાં બાયોમેડિકલ ઓક્સિજન ડિમાન્ડ (BOD) 345 મિલિગ્રામ પ્રતિ લિટર છે, જે દેશની 603 નદીઓમાં સૌથી વધુ છે.
CPCBA રિપોર્ટ જણાવે છે કે, 2019 થી 2021 ના સમયગાળા દરમિયાન તમિલનાડુમાં 12 નદીઓની પાણીની ગુણવત્તા 73 સ્થળોએ મોનિટર કરવામાં આવી હતી. અહેવાલમાં જણાવાયું છે કે, 10 નદીઓના 53 સ્થળોએ બાયો-મેડિકલ ઓક્સિજન ડિમાન્ડ (BOD) નિર્ધારિત પાણીની ગુણવત્તાના ધોરણોનું પાલન કરતી નથી.
તમિલનાડુની આ 10 નદીઓ ધારાધોરણોનું પાલન કરતી નથી
તમિલનાડુમાં અદ્યાર, અમરાવતી, ભવાની, કાવેરી, કૂમ, પાલાર, સરબંગા, તામરાઈબારાની, વશિષ્ઠ અને તિરુમનિમુથર નામની 10 નદીઓ છે જ્યાં BOD ધોરણોનું પાલન થતું નથી. ખાસ કરીને છેલ્લા કેટલાક સમયથી તામરાઈબારાની અને કૂમ નદીઓમાં પ્રદૂષણ સામે પર્યાવરણવાદીઓ અને સામાજિક કાર્યકરો સાથે સતત ઝુંબેશ ચલાવી રહી છે.
આ પણ વાંચો: Auto expo 2023: પ્રદૂષણ ઘટાડશે આ કાર, ચાલતા ચાલતા હવાને કરે છે સાફ, જુઓ તસવીરો
સરકારે કૂમ નદીને સાફ કરવા માટે અનેક પગલાં લીધાં
કૂમ નદી દેશની સૌથી પ્રદૂષિત નદી બની ગઈ હોવા છતાં વર્તમાન સરકાર દ્વારા તેને સાફ કરવા માટે પગલાં લેવામાં આવ્યા છે. સરકારે નદી કિનારે લગભગ 80 ટકા અતિક્રમણ દૂર કર્યું છે અને ચેટપેટ ખાતે એગમોર, નુંગમ્બક્કમ અને લેંગ્સ ગાર્ડનમાં ત્રણ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપ્યા છે. સત્તાવાળાઓ હવે તેમાં ટ્રીટ ન કરાયેલ ગટરના પ્રવાહને રોકવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
પ્રદૂષિત પાણીને જૈવિક પ્રક્રિયાને આધિન કરવામાં આવશે, ત્યારબાદ તેની ગુણવત્તા સુધારવા માટે સેડિમેન્ટેશન અને ફિલ્ટરેશન કરવામાં આવશે. ત્યારબાદ, પાણીને જીવાણુ નાશકક્રિયા માટે ક્લોરીનેટેડ કરવામાં આવે છે અને બાગકામ જેવા બિન-પીવા યોગ્ય હેતુઓ માટે તૈયાર કરવામાં આવે છે.