ઘરમાં લગાવેલ મની પ્લાંટ તમને બનાવી શકે છે કંગાળ, વાસ્તુ અનુસાર રાખો આ બાબતોનું ધ્યાન, નહીં થાય નુકશાન

News18 Gujarati
Updated: February 6, 2023, 4:10 PM IST
ઘરમાં લગાવેલ મની પ્લાંટ તમને બનાવી શકે છે કંગાળ, વાસ્તુ અનુસાર રાખો આ બાબતોનું ધ્યાન, નહીં થાય નુકશાન
જમીનને સ્પર્શતા મની પ્લાન્ટના પાંદડા સુખ અને સમૃદ્ધિમાં અવરોધ બની શકે છે.

Vastu Tips for Money Plant: આપણામાંથી ઘણાને બાગકામનો શોખ હોય છે. ઘણીવાર તેઓ તેમના ઘરને વિવિધ પ્રકારના વૃક્ષો અને છોડથી સજાવે છે. આ છોડમાં સૌથી લોકપ્રિય મની પ્લાન્ટ છે. વાસ્તુશાસ્ત્રમાં મની પ્લાન્ટ લગાવવાના ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે, જેને અપનાવવાથી દરેક વ્યક્તિ લાભ મેળવી શકે છે.

  • Share this:
Vastu Tips for Money Plant: ઘણા લોકો પોતાના ઘરને સુંદર અને વાતાવરણને તાજું બનાવવા માટે પોતાના ઘરમાં છોડ લગાવે છે. વાસ્તુશાસ્ત્રમાં આવા અનેક છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે ઘરની સુંદરતામાં વધારો કરે છે. આ સાથે તેઓ અન્ય ઘણી રીતે પણ ફાયદાકારક છે. આ છોડ આર્થિક સ્થિતિમાં પણ સુધારો લાવી શકે છે.

મની પ્લાન્ટ આમાંથી એક છોડ છે. તમે ઘણા ઘરોમાં મની પ્લાન્ટ લગાવેલા જોયા હશે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં મની પ્લાન્ટ લગાવવા માટે કેટલાક નિયમો આપવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં મની પ્લાન્ટ લગાવવાથી ઘરની આર્થિક સ્થિતિ સારી રહે છે. ચાલો જાણીએ કે ભોપાલ નિવાસી જ્યોતિષ અને વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા આ વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે.

જો તમે પણ તમારા ઘરમાં મની પ્લાન્ટ લગાવવા જઈ રહ્યા છો તો વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારે આ છોડને ઘરના દક્ષિણ-પૂર્વ ખૂણામાં લગાવવો જોઈએ. વાસ્તુશાસ્ત્ર માને છે કે આ દિશા સકારાત્મક ઉર્જા ની દિશા છે અને આ દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે, જેનાથી પરિવારના સભ્યોની આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે.

- મની પ્લાન્ટને સૌભાગ્ય અને ધનનું પ્રતિક માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે આ છોડને વાસણમાં રાખવાનું વિચારી રહ્યા છો તો તેને હંમેશા દક્ષિણ પૂર્વ ક્ષેત્રમાં જ રાખવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આ દિશાને ભગવાન ગણેશની દિશા કહેવામાં આવે છે.

આ પણ વાંચો: પર્સમાં આ 4 વસ્તુઓ રાખવાથી માતા લક્ષ્મી થઈ શકે છે ગુસ્સે, તરત જ કાઢી નાખો

- વાસ્તુશાસ્ત્ર અનુસાર મની પ્લાન્ટને ક્યારેય પણ ઘરની ઉત્તર પૂર્વ દિશામાં ન રાખવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આ છોડને આ દિશામાં રાખવાથી ઘરના સભ્યોના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે.આ પણ વાંચો: અયોધ્યામાં શાલિગ્રામથી બનશે ભગવાન રામની મૂર્તિ, જાણો 5 રસપ્રદ વાતો

- વાસ્તુશાસ્ત્ર અનુસાર મની પ્લાન્ટની વેલાને ક્યારેય પણ જમીનને અડવા ન દેવી જોઈએ. જો મની પ્લાન્ટનો વેલો જમીનને સ્પર્શવા લાગે તો તે ઘર માટે અશુભ સંકેત માનવામાં આવે છે. જમીનને સ્પર્શતા મની પ્લાન્ટના પાંદડા સુખ-સમૃદ્ધિમાં અવરોધ બની શકે છે, તેથી મની પ્લાન્ટની વેલો હંમેશા ઉપરની તરફ લગાવવી શુભ માનવામાં આવે છે.
Published by: Riya Upadhay
First published: February 6, 2023, 4:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading